Source : BBC NEWS
રાજકોટ : જંગલેશ્વરમાં ડિમોલિશન પછી ઘરવિહોણાં થયેલા લોકોએ શું કહ્યું?
3 કલાક પહેલા
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગઈકાલે સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ હતી અને અત્યાર સુધીમાં આજી નદી પટ્ટા તથા ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત 1060 બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
જંગલેશ્વરમાં થઈ રહેલું આ ડિમોલિશન સૌરાષ્ટ્રના ઇતિહાસનું ‘સૌથી મોટું ડિમોલિશન’ ગણાવાઈ રહ્યું છે.
સરકારના કહેવા પ્રમાણે આ તમામ મકાનો ગેરકાયદેસર છે, જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ દાયકાઓથી અહીં રહે છે અને અહીં રહેવું એ તેમની મજબૂરી છે. લોકોનું કહેવું છે કે તેઓ મોટી સોસાયટીમાં મકાન બાંધીને રહી શકે તેમ નથી, એટલે જ તો તેઓ અહીં રહેતા હતા.
ત્યારે વર્ષોથી અહીં વસતાં સ્થાનિકોએ ઘર ગુમાવતાં શું કહ્યું?
વધુ જુઓ વીડિયોમાં…
વીડિયો: ગોપાલ કટેશિયા અને બિપિન ટંકારિયા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



