Home તાજા સમાચાર gujrati બાંગ્લાદેશમાં આજે તારિક રહમાન વડા પ્રધાનપદના શપથ લેશે – ન્યૂઝ અપડેટ

બાંગ્લાદેશમાં આજે તારિક રહમાન વડા પ્રધાનપદના શપથ લેશે – ન્યૂઝ અપડેટ

7
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

17 ફેબ્રુઆરી 2026, 08:33 IST

અપડેટેડ 2 કલાક પહેલા

વાંચવાનો સમય: 2 મિનિટ

બાંગ્લાદેશમાં ચૂંટણી પછી આજે સાંસદો અને કૅબિનેટના સભ્યો માટે શપથગ્રહણ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે.

બીબીસી બાંગ્લા મુજબ મુખ્ય ચૂંટણીપંચ મંગળવારે સવારે 10 વાગ્યે સંસદભવનના સાઉથ પ્લાઝામાં નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેશે. વડા પ્રધાન અને મંત્રીમંડળને સાંજે ચાર વાગ્યે શપથ લેવડાવવામાં આવશે.

બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી)એ જણાવ્યું છે કે પાર્ટીના અધ્યક્ષ તારિક રહમાન વડા પ્રધાન તરીકે શપથ લેશે.

વચગાળાની સરકાર 16 મહિના પછી નિર્વાચિત સરકારને સત્તા સોંપવાની છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનૂસે સોમવારે રાતે પોતાના વિદાય ભાષણમાં પદ છોડવાની જાહેરાત કરી હતી.

12 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીમાં બીએનપી અને ગઠબંધને 212 બેઠકો જીતીને બે તૃતીયાંશ બહુમતી મેળવી છે. જ્યારે જમાત-એ-ઇસ્લામીના ગઠબંધનને 77 બેઠકો મળી હતી.

પાકિસ્તાનમાં સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, 10 સુરક્ષા કર્મચારીનાં મોત

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં એક સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો થયો છે જેમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત નીપજ્યાં છે અને ઘણા લોકોને ઈજા થઈ છે.

બીબીસી ઉર્દૂ મુજબ બાજૌર જિલ્લાના મલંગી વિસ્તારમાં વિસ્ફોટકો ભરેલી એક ગાડીમાં ધડાકો થયો હતો. આ ઇમારત અગાઉ એક મદરેસા હતી, પરંતુ ત્યાર પછી ત્યાં સુરક્ષા ચોકી બનાવવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે સુરક્ષા ચોકી પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 10 કર્મચારી માર્યા ગયા છે. મૃતકોમાં એક પોલીસ કર્મચારી અને ફ્રન્ટિયર કોરના નવ સૈનિકો સામેલ છે. કાટમાળની નીચેથી હજુ મૃતદેહો કાઢવાનું કામ ચાલુ છે.

એક અધિકારીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે અજ્ઞાત લોકોએ વિસ્ફોટકો ભરેલું એક વાહન ફ્રન્ટિયર કોરની ચોકી સાથે ટકરાવ્યું હતું. સેના તરફથી હજુ સુધી કોઈ નિવેદન નથી આવ્યું, પરંતુ ખૈબર પખ્તૂનખ્વાના મુખ્ય મંત્રી સોહેલ આફ્રિદીએ આ આત્મઘાતી હુમલાની ટીકા કરી છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન ભારત પહોંચ્યા

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોન અને ફર્સ્ટ વુમન બ્રિજિટ મેક્રોન ભારતના ત્રણ દિવસના પ્રવાસે મુંબઈ પહોંચ્યાં છે.

મંગળવારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.

મૅક્રોન 17થી 19 ફેબ્રુઆરી 2026 સુધી ભારતની સત્તાવાર મુલાકાત પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપીને આ મુલાકાત યોજવામાં આવી છે.

તેઓ ભારતની મેજબાનીમાં આયોજિત એઆઇ ઇમ્પેક્ટ સમિટમાં ભાગ લેશે અને મુંબઈમાં વડા પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.

રાષ્ટ્રપતિ મૅક્રોનનો આ ચોથો ભારત પ્રવાસ છે, તેઓ મુંબઈની મુલાકાતે પહેલી વાર આવ્યા છે.

ગયા અઠવાડિયે ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારત રફાલ ફાઇટર વિમાનો માટે એક મોટો ઑર્ડર આપવાની યોજના ધરાવે છે, ત્યાર પછી આ મુલાકાત યોજાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS