Source : BBC NEWS
ગુજરાતની આ નદીનાં પ્રદૂષિત પાણીથી લોકો પરેશાન, પાણીનો રંગ કેવો થઈ ગયો?
એક કલાક પહેલા
“આ પાણીથી હાથ પણ ધોવાતા નથી, ખંજવાળ ઊપડે છે, ત્રણ વર્ષથી દવા ચાલુ છે.” આ શબ્દો ભાદર નદીકાંઠે રહેતા લોકોના છે.
ભાદર નદીના પ્રદૂષિત પાણીથી લોકો આટલી હદે પરેશાન છે.
જેતપુરમાં રહેતા રામદેવ સાંજવા નામની એક વ્યક્તિએ 2018માં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી મારફતે ફરિયાદ કરી કે જેતપુરમાં સાડીઓનાં રંગકામ (ડાઇંગ) અને છાપકામ (પ્રિન્ટિંગ) કરતાં કારખાનાં દ્વારા છોડતા રસાયણોયુક્ત પાણીથી ભાદર નદીમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.
મામલો પર્યાવરણને લગતો હોવાથી કેસ નૅશનલ ગ્રીન ટ્રાઇબ્યુનલ (એન.જી.ટી)માં પહોંચ્યો. પછી શું થયું?
લોકોને કેવી મુશ્કેલી પડી રહી છે?
વધુ જુઓ વીડિયોમાં…
વીડિયો : ગોપાલ કટેશિયા
કૅમેરા-એડિટ: બિપિન ટંકારીયા અને સુમિત વૈદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS



