Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
અપડેટેડ એક કલાક પહેલા
22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન પર ‘દોષારોપણ’ કરીને સિંધુ જળ સંધિ મોકૂફ રાખવા સહિત પાકિસ્તાની નાગરિકોને અપાયેલા 14 પ્રકારના વિઝા રદ કરી દીધા હતા.
આ કાર્યવાહી બાદ શનિવારે વહેલી સવારથી ગુજરાતભરમાં 1000થી વધુ કથિત બાંગ્લાદેશીઓ સહિતના કથિતપણે ગેરકાયદે રીતે ભારતમાં આવીને રહેતા લોકોની અટકાયત કરી હતી.
આ અભિયાન વડોદરામાં પણ ચાલુ થયું હતું. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમરે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું, “આ માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 500 જેટલા શકમંદોને પકડ્યા છે જેમના દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે. તે પૈકી પાંચ બાંગ્લાદેશી હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. બાકીનાની તપાસ ચાલી રહી છે.”
રાજકોટના ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતમાં જે પણ ગેરકાયદેસર પ્રવાસીઓ રહે છે અને ખાસ કરીને જેઓ બાંગ્લાદેશથી આવ્યા છે તેમને શોધીને ડિપૉર્ટ કરવાની કાર્યવાહી કરવાની સૂચના ડીજી ઑફિસમાંથી મળી છે.
તેમણે કહ્યું, “રાતભર ચાલેલા આ ઑપરેશનમાં અમે 800 લોકોની તપાસ કરી જેમાં દસ ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓ મળી આવ્યા. તેમે આવનારા દિવસોમાં ગૃહ વિભાગ અને ગૃહ મંત્રાલયના મારફતે પ્રક્રિયા પૂર્ણ કરીને ડિપૉર્ટ કરી દેવામાં આવશે.”
પોલીસે આ કાર્યવાહી અમદાવાદના ચંડોળા, સુરતના કેટલાક વિસ્તારોમાં અને મહિસાગર જિલ્લામાં કરી હતી.
આ કાર્યવાહી શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તમામ રાજ્યોમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ઓળખીને તેમને પરત મોકલવાના નિર્દેશ બાદ કરવામાં આવી છે.
ઉત્તરાખંડમાં એક મઝારને બુલડોઝરથી ધ્વસ્ત કરવાનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Asif Ali/ BBC
ઉત્તરાખંડના દેહરાદૂનના દૂન હૉસ્પિટલના પરિસરમાં એક મઝારને પ્રશાસને શુક્રવારે મોડી રાત્રે બુલડોઝર ચલાવીને ધ્વસ્ત કરી નાખી.
આ કાર્યવાહી મુખ્ય મંત્રીના પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદને આધારે કરવામાં આવી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ મઝાર ગેરકાયદેસર બનાવવામાં આવી હતી.
મઝારના મુતવલ્લી મહફૂઝ અહમદે જણાવ્યું કે આ વકફ બોર્ડમાં રજીસ્ટર્ડ હતી.
આ કાર્યવાહી દરમિયાન ભારે પોલીસદળ જમા હતું. શનિવારે મુસ્લિમ સમુદાયે આ કાર્યવાહીનો વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપીને આ મામલે પગલાં ઉઠાવવાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે વકફ સંપત્તિઓના સંબંધમાં યથાસ્થિતિ બનાવી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આને આ મઝારના મામલે પ્રશાસને તેને બુલડોઝર ચલાવીને ધ્વસ્ત કરી નાખી.
દહેરાદૂનના કલેક્ટર સબિન બંસલે જણાવ્યું, “રાજ્ય સરકારના 2016ના અધિનિયમ મુજબ વગર અનુમતિએ કોઈ પણ સાર્વજનિક પરિસરમાં ધાર્મિકસ્થળ બનાવવું પ્રતિબંધિત છે.”
ટ્રમ્પ બોલ્યા- પુતિન નથી ઇચ્છતા કે યુદ્ધ સમાપ્ત થાય

ઇમેજ સ્રોત, Andriy Yermak/Telegram
શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં લખ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન નથી ઇચ્છતા કે યુદ્ધ સમાપ્ત થાય.
ટ્રમ્પે શનિવારે ટ્રૂથ સોશિયલ પર એક પોસ્ટ લખી. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેન મામલે તેઓ ચાહે જેટલો સારો યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકે, તેમની ટીકા કરવામાં આવે છે.
શનિવારે ધર્મગુરુ પોપ ફ્રાન્સિસના અંતિમસંસ્કાર માટે રોમ પહોંચેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS