Home તાજા સમાચાર gujrati મહેન્દ્રસિંહ ધોનીનો ICC હૉલ ઑફ ફેમમાં સમાવેશ, ધોનીએ શું કહ્યું? – ન્યૂઝ...

મહેન્દ્રસિંહ ધોનીનો ICC હૉલ ઑફ ફેમમાં સમાવેશ, ધોનીએ શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

8
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ગુજરાત ભારત મહેન્દ્રસિંહ ધોની આઈસીસી મધ્ય પ્રદેશ દલિત યુવાન

ઇમેજ સ્રોત, Getty Images

એક કલાક પહેલા

આઈસીસીએ (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ) સોમવારે લંડનમાં યોજાયેલા એક સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને હૉલ ઑફ ફેમમાં સામેલ કર્યા છે.

એમ. એસ. ધોનીએ હૉલ ઑફ ફેમમાં સામેલ થવા અંગે કહ્યું, “મારા માટે આ એક બહુ મોટું સન્માન છે, જે દુનિયાભરના અલગઅલગ યુગના ક્રિકેટરોના યોગદાનને માન્યતા આપે છે.”

“આવા મહાન ખેલાડીઓ સાથે પોતાનું નામ જોવું એ ખરેખર એક શાનદાર અનુભવ છે. આ એવી ઘડી છે જેને હું (સ્મૃતિમાં) સાચવીને રાખીશ.”

ભારતીય ક્રિકેટ ટીમ માટે ધોની 2004માં પહેલી વખત રમ્યા હતા. તેઓ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 350 વનડે, 98 ટી-20 અને 90 ટેસ્ટ મેચ રમ્યા છે.

તેમની કૅપ્ટનશિપ હેઠળ ભારત 2007માં આઈસીસી ટી20 વર્લ્ડ કપ, 2011માં આઈસીસી વર્લ્ડ કપ અને વર્ષ 2013માં ચૅમ્પિયન્સ ટ્રૉફી જીત્યું હતું.

આઈસીસીએ સોમવારે ક્રિકેટવિશ્વના સાત ખેલાડીઓને હૉલ ઑફ ફેમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી, જેમાંથી પાંચ પુરુષ અને બે મહિલા ખેલાડી સામેલ છે.

શુભાંશુ શુક્લા હવે આ તારીખે એક્સિઓમ-4 મિશનથી અંતરિક્ષમાં જશે

બીબીસી ગુજરાતી ગુજરાત ભારત મહેન્દ્રસિંહ ધોની આઈસીસી મધ્ય પ્રદેશ દલિત યુવાન

ઇમેજ સ્રોત, @Axiom_Space/X

ઇસરોએ પોતાના ઍક્સ એકાઉન્ટ પર એક્સિઓમ-4 મિશનના લૉન્ચ વિશે નવી માહિતી આપી છે.

ઇસરોએ લખ્યું છે, “હવામાનને લગતા કારણોથી એક્સિઓ-4 મિશન હેઠળ ભારતીય અંતરિક્ષયાત્રીને સ્પેસ સ્ટેશન પર મોકલવાની તારીખ 10 જૂન 2025થી બદલીને 11 જૂન 2025 કરવામાં આવી છે.”

“આ મિશન 11 જૂન 2025ના સાંજે ભારતીય સમય પ્રમાણે 5.30 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે.”

ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા પણ આ મિશનનો હિસ્સો છે. રાકેશ શર્મા પછી શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય હશે.

અગાઉ 1984માં રાકેશ શર્મા સોવિયેત મિશનના ભાગરૂપે અંતરિક્ષમાં ગયા હતા. લગભગ 40 વર્ષ પછી કોઈ ભારતીય ફરીથી અંતરિક્ષમાં જશે.

એક્સિઓન-4ના ચાલકદળમાં ભારત ઉપરાંત પોલૅન્ડ અને હંગેરીના અંતરિક્ષયાત્રી પણ સામેલ હશે.

મધ્ય પ્રદેશમાં રાશન લેવા ગયેલા દલિત યુવકની હત્યા, રાહુલ ગાંધીએ ભાજપની ઝાટકણી કાઢી

બીબીસી ગુજરાતી ગુજરાત ભારત મહેન્દ્રસિંહ ધોની આઈસીસી મધ્ય પ્રદેશ દલિત યુવાન

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાના બિલહરી ગામે 8 જૂન, રવિવારે રાશન લેવા ગયેલા એક દલિત યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

પંકજ પ્રજાપતિ નૌગાંવ થાણામાં આવતા પોતાના ગામની સરકારી રાશનની દુકાને અનાજ લેવા ગયા હતા. આ દરમિયાન અનાજ વિતરણ વખતે વિવાદ થયો અને તેમના પર ગોળી ચલાવવામાં આવી.

આ ઘટનામાં તેમનું મોત થયું અને તેમના નાના ભાઈને ઈજા થઈ હતી.

છતરપુરના એસડીઓપી અમિત મેશ્રામે પત્રકારોને જણાવ્યું કે પોલીસે “પ્રવીણ પટેરિયા, નવીન પટેરિયા અને સેલ્સમૅન રામસેવક અરજરિયા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ, એસસી/એસટી (શિડ્યુલ્ડ કાસ્ટ/શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ) ઍક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.”

તેમણે કહ્યું કે “આરોપીઓની ધરપકડ માટે એક ટીમ રચવામાં આવી છે અને ટૂંક સમયમાં તેમને પકડી લેવામાં આવશે.”

જોકે, આ ઘટના પછી મૃતકના પરિવારજનોએ પોલીસ પર આરોપીઓ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે. ગામવાસીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.

લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, “મધ્ય પ્રદેશમાં પંકજ પ્રજાપતિની હત્યા માત્ર એટલા માટે કરવામાં આવી, કારણ કે તેમણે દલિત થઇને પોતાનો હક માંગ્યો હતો. એફઆઈઆર દાખલ નથી થઈ. પોસ્ટમૉર્ટમ ટાળવામાં આવ્યું, કારણ કે ગુનેગારો સત્તાના ખોળે બેઠેલા છે અને સત્તા મનુવાદી, બહુજનવિરોધી ભાજપની છે.”

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS