Source : BBC NEWS
પહલગામ હુમલો : ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવથી પીડાતી મહિલાએ સરકારોને શું અપીલ કરી?
3 કલાક પહેલા
ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે મહિલાઓના અનુભવો પર પુસ્તક લખનાર ઉર્વશી બુટાલિયા કહે છે, “લોકો રાજકીય સીમાઓનું પાલન કરે તે જરૂરી નથી. સરકારોએ સમજવું જોઈએ કે આતંકવાદ અને રાજકારણનો માનવ સંબંધો સાથે કોઈ સંબંધ નથી.”
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ચરમપંથી હુમલા પછી, બંને દેશોએ અનેક નિર્ણયો લીધા જેમાં એકબીજાના નાગરિકોને દેશ છોડી દેવા પણ કહેવાયું છે.
આ પછી, લોકો અટારી-વાઘા સરહદ પર લોકો પહોંચવા લાગ્યા. એમાં એ મહિલાઓ પણ સામેલ હતાં જેઓ જ્યાં તેમનાં લગ્ન થયાં છે ત્યાં જવાં માગતાં હતાં.
પાકિસ્તાની નાગરિકો જેમાં લગ્ન કરીને ભારત આવેલાં મહિલાઓ પણ છે તેઓ લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહે છે તેમને NORI એટલે કે નો ઑબ્લિગેશન ટુ રિટર્ન ટુ ઇન્ડિયા સુવિધા હેઠળ પાકિસ્તાનની મુસાફરી કરી રહ્યાં છે.
આ મહિલાઓએ તેમની વેદના બીબીસી સાથે મુલાકાતમાં શૅર કરી હતી.
જાણો તેમને કેવી મુશ્કેલીઓ પડે છે?
આ વીડિયોમાં જુઓ…

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS