Home તાજા સમાચાર gujrati દિલ્હી-એનસીઆરમાં ભયંકર વરસાદ બાદ વૃક્ષ પડી જવાને કારણે ત્રણ બાળકો સહિત ચારનાં...

દિલ્હી-એનસીઆરમાં ભયંકર વરસાદ બાદ વૃક્ષ પડી જવાને કારણે ત્રણ બાળકો સહિત ચારનાં મૃત્યુ, હવામાન વિભાગે આપી આ સલાહ- ન્યૂઝ અપડેટ

5
0

Source : BBC NEWS

દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે સવારે ઝડપી પવન સાથે ભયંકર વરસાદ પડ્યો. ઘણી જગ્યાઓએ રસ્તા પર પાણી ભરાઈ ગયાં અને કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના પણ બની.

ઇમેજ સ્રોત, ANI

2 મે 2025, 07:12 IST

અપડેટેડ એક મિનિટ પહેલા

ભારે વરસાદની અસર દિલ્હી ઍરપૉર્ટ પર પણ પડી છે. સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા પ્રમાણે તોફાન અને ઝડપી પવનને કારણે દિલ્હી ઍરપૉર્ટ પર ત્રણ ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી અને 100થી વધુ ફ્લાઇટ્સ મોડી થઈ.

એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે દિલ્હી ઍરપૉર્ટ પર ઉતરનારી બે ફ્લાઇટ્સને જયપુર અને એકને અમદાવાદ તરફ મોકલી દેવાઈ.

દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ લિમિટેડે ઍક્સ એકાઉન્ટ પર જારી ઍડવાઇઝરીમાં જણાવ્યું કે ઍરપૉર્ટનું ઑપરેશન યથાવત્ છે. જોકે, કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત છે.

દિલ્હી-એનસીઆરમાં ભયંકર વરસાદ બાદ વૃક્ષ પડી જવાને કારણે ત્રણ બાળકો સહિત ચારનાં મૃત્યુ, હવામાન વિભાગે આપી આ સલાહ

દિલ્હી-એનસીઆરમાં ભયંકર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયાં

ઇમેજ સ્રોત, ANI

દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે સવારે ઝડપી પવન સાથે ભયંકર વરસાદ પડ્યો. ઘણી જગ્યાઓએ રસ્તા પર પાણી ભરાઈ ગયાં અને કેટલીક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના પણ બની.

હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં હવામાન ખરાબ હોવાની ચેતવણી આપતા લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે.

હવામાન વિભાગે કહ્યું છે કે હવામાન ખરાબ હોવાને કારણે લોકો સુરક્ષિત જગ્યાએ જતા રહે અને ઘરનાં બારી-દરવાજા બંધ રાખે.

વરસાદથી બચવા માટે કોઈ વૃક્ષની નીચે ન ઊભા રહે.

દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ લિમિટેડે પોતાના અધિકારિક ટ્વિટર એકાઉન્ટ પર યાત્રીઓ માટે એક ઍડવાઇઝરી જારી કરી છે.

તેમાં કહેવાયું છે કે દિલ્હીમાં ખરાબ હવામાન હોવાને કારણે તથા આંધી-તોફાનને કારણે દિલ્હીની કેટલીક ફ્લાઇટની સેવા પ્રભાવિત થઈ છે.

ઍરપૉર્ટના મુસાફરોને અનુરાધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાની ફ્લાઇટની જાણકારી માટે સંબંધિત ઍરલાઇન્સનો સંપર્ક કરે.

સમાચાર સંસ્થા એએનઆઈએ દિલ્હી પોલીસના હવાલાથી ખબર આપી છે કે દ્વારકા વિસ્તારમાં એક મકાન પર વૃક્ષ પડી જવાને કારણે એક માતા અને તેમનાં ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્જે પોતાનું પદ છોડ્યું

અમેરિકા, સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્જ. બીબીસી ગુજરાતી, ગુજરાતમાં સમાચાર, બીબીસી ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters

બીબીસીના અમેરિકી પાર્ટનર સીબીએસ ન્યૂઝ અને સમાચાર એજન્સી રૉયટર્સના સમાચાર અનુસાર અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વાલ્ટ્જે પોતાનું પદ છોડવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર પ્રમાણે માઇક વાલ્ટ્જના સહયોગી ઍલેક્સ વૉન્ગ પણ પોતાનુ પદ છોડી રહ્યા છે.

જોકે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે તે આ પ્રકારના સમાચારો પર પ્રતિક્રિયા નથી આપતું.

આ સમાચાર માઇલ વાલ્ટ્જના એક ગ્રૂપ ચૅટની જવાબદારી લેવાના એક મહિના બાદ આવી છે. જેમાં ઊંચા પદ પર બેઠેલા અધિકારીઓએ યમનમાં સૈન્ય હુમલાની યોજના બનાવી હતી. આ ગ્રૂપ ચૅટમાં અજાણ્યા પત્રકારને જોડવામાં આવ્યા હતા.

વાલ્ટ્જે ફૉક્સ ન્યૂઝને જણાવ્યું હતું, “હું તેની પૂર્ણ જવાબદારી લઉં છું, મેં જ આ ગ્રૂપ બનાવ્યું હતું.”

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં પોતાનું પદ છોડનારા વાલ્ટ્જ પહેલા એવા અધિકારી છે જેઓ ઊંચા પદ પર રહ્યા હોય.

ટ્રમ્પે ચૂંટણી જીત્યા બાદ શરૂઆતમાં જે લોકોને નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમાં વાલ્ટ્જ પણ સામેલ હતા.

આ વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના બહાર આ સિગ્નલ ચૅટની પ્રશંસા કરી છે.

સમાચાર મળી રહ્યા છે કે ટ્રમ્પ તેમની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના દૂત તરીકે નિમણૂક કરશે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટમાં તેમણે વાલ્ટ્જનો આભાર માન્યો છે અને કહ્યું છે કે હાલ વિદેશ મંત્રી માર્કો રૂબિયો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ સંભાળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS