Home તાજા સમાચાર gujrati ‘તહેરાન તરત જ ખાલી કરો’, ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે આપી ચેતવણી? –...

‘તહેરાન તરત જ ખાલી કરો’, ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે આપી ચેતવણી? – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

G-7 સંમેલનમાંથી પરત ફરી રહ્યા છે ટ્રમ્પ, વ્હાઇટ હાઉસે જણાવ્યું આ કારણ – ન્યૂઝ અપડેટ, ઇઝરાયલ, ઈરાન, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Reuters

17 જૂન 2025, 06:56 IST

અપડેટેડ એક કલાક પહેલા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ઈરાનની રાજધાની તહેરાનને તરત ખાલી કરવાની સલાહ આપી છે.

ટ્રમ્પે પોતાના ટ્રૂથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું. “ઈરાનને તે ‘સોદા’ પર હસ્તાક્ષર કરી દેવા જોઈતા હતા. જેના પર મેં તેમને હસ્તાક્ષર કરવાનું કહ્યું હતું. આ કેટલી શરમની વાત છે, અને માનવ જીવનની બરબાદી છે.”

“સીધા શબ્દોમાં કહું તો ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોઈ શકે. મેં તો આ વારંવાર કહ્યું છે. તમામ લોકોએ તહેરાન ખાલી કરી દેવું જોઈએ.”

G-7 શિખર સંમેલનમાં ભાગ લેવા કૅનેડા ગયેલા ટ્રમ્પ એક દિવસ પહેલાં જ ત્યાંથી અમેરિકા પરત ફરી રહ્યા છે. તેમના તરત પરત ફરવાનું કારણ મધ્ય-પૂર્વની પરિસ્થિતિ જણાવાઈ રહી છે.

ઇઝરાયલી સેનાનો દાવો: ઈરાને ફરી છોડી મિસાઇલો, તહેરાનમાં પણ ભયંકર વિસ્ફોટ

G-7 સંમેલનમાંથી પરત ફરી રહ્યા છે ટ્રમ્પ, વ્હાઇટ હાઉસે જણાવ્યું આ કારણ – ન્યૂઝ અપડેટ, ઇઝરાયલ, ઈરાન, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Matan Golan/SOPA Images/LightRocket via Getty Images

ઇઝરાયલી સેનાએ કહ્યું છે કે ઈરાને ફરી એક વખત ઇઝરાયલ તરફ મિસાઇલો છોડી છે.

ત્યાં ઈરાની સરકારી મીડિયાએ મંગળવારે સવારે તહેરાનમાં ભયંકર વિસ્ફોટો થયાની પુષ્ટિ કરી છે.

ઇઝરાયલની સેના દ્વારા થઈ રહેલી સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની પોસ્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ઉત્તર તથા મધ્ય ઇઝરાયલમાં ઈરાને મિસાઇલોથી હુમલો કર્યો છે. હુમલા બાદ સાઇરનો વાગવા લાગી છે.

ઇઝરાયલની સેના પ્રમાણે મિસાઇલ હુમલા બાદ લાખો ઇઝરાયલી નાગરિકોને સુરક્ષિત સ્થાનોએ આશ્રય લેવો પડ્યો.

રૉયટર્સ સમાચાર એજન્સીએ જણાવ્યું કે ઈરાની સરકારી મીડિયાએ જણાવ્યું કે તહેરાનમાં ઘણા વિસ્ફોટોના અવાજો સંભળાયા છે અને હવાઈ સંરક્ષણ પ્રણાલીએ મોટા પ્રમાણમાં ગોળીબાર કર્યો છે.

G-7 સંમેલનમાંથી પરત ફરી રહ્યા છે ટ્રમ્પ, વ્હાઇટ હાઉસે જણાવ્યું આ કારણ – ન્યૂઝ અપડેટ

G-7 સંમેલનમાંથી પરત ફરી રહ્યા છે ટ્રમ્પ, વ્હાઇટ હાઉસે જણાવ્યું આ કારણ – ન્યૂઝ અપડેટ, ઇઝરાયલ, ઈરાન, નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કૅનેડાના કાનાનાસ્કિસમાં ચાલી રહેલી જી-7 દેશોના શિખર સંમેલનને વચ્ચે જ છોડીને વૉશિંગ્ટન પરત ફરી રહ્યા છે.

વ્હાઇટ હાઉસનાં પ્રેસ સચિવ કૅરોલિન લેવિટે ઍક્સ પર લખ્યું, “રાષ્ટ્રપતિ ટ્રમ્પે જી-7ને શાનદાર દિવસ ગણાવ્યો. ત્યાં સુધી કે તેમણે યુકે તથા વડા પ્રધાન કીએર સ્ટાર્મર સાથે એક મુખ્ય વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા.”

ટ્રમ્પ અને સ્ટાર્મરે જી-7 શિખર સંમેલન દરમિયાન એક બેઠકમાં અમેરિકા અને બ્રિટન વચ્ચે ટેરિફ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.

લેવિટે ટ્રમ્પના પરત આવવાની જાણકારી આપતા લખ્યું, “ઘણું મેળવ્યું, પરંતુ મધ્ય પૂર્વમાં જે કંઈ ચાલી રહ્યું છે તેને કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે રાત્રે રાષ્ટ્રાધ્યક્ષો સાથેના ડિનર બાદ પરત ફરશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS