Home તાજા સમાચાર gujrati આજે વિજય રૂપાણીના રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર, ગુજરાત સરકાર દ્વારા એક દિવસનો...

આજે વિજય રૂપાણીના રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર, ગુજરાત સરકાર દ્વારા એક દિવસનો રાજકીય શોક – ન્યૂઝ અપડેટ

2
0

Source : BBC NEWS

વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ સીએમ, અંતિમ સંસ્કાર, રાજકોટ, અમદાવાદ પ્લેન ક્રૅશ, બીબીસી ગુજરાતી, ઍર ઇન્ડિયા, ગુજરાત સરકાર

ઇમેજ સ્રોત, ANI

16 જૂન 2025, 06:23 IST

અપડેટેડ 3 કલાક પહેલા

અમદાવાદમાં 12મી જૂને ઍર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું AI171 વિમાન મેઘાણીનગરમાં ક્રૅશ થયું હતું. આ દુર્ઘટનામાં 241 મુસાફરનાં મોત થયાં છે. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા.

બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ આપેલી જાણકારી પ્રમાણે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સોમવારે રાજકોટ ખાતે સાંજે છ વાગ્યે થશે.

સોમવારે સવારે 11-30 કલાકે તેમના મૃતદેહનો અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતેથી સ્વીકાર કરવામાં આવશે. ત્યાર પછી વિજય રૂપાણીના મૃતદેહને અમદાવાદના ઍરપૉર્ટ ખાતે લઈ જવાશે અને ત્યાંથી હવાઈ માર્ગે રાજકોટ લઈ જવાશે. રાજકોટમાં તેમના નિવાસસ્થાને તેમના મૃતદેહને અંતિમદર્શન માટે મૂકવામાં આવશે.

સાંજે પાંચ કલાકે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળીને રામનાથપરા સ્મશાન ખાતે જશે.

તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મંગળવારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં પ્રાર્થના સભા યોજવામાં આવી છે. ગાંધીનગરમાં ગુરુવારે પ્રાર્થનાસભા આયોજીત કરવામાં આવી છે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શુક્રવારના રોજ પ્રાર્થનાસભા આયોજીત કરવામાં આવી છે.

અગાઉ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે “પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનો ડીએનએ ટેસ્ટ મૅચ થઈ ગયો છે.”

ગુજરાત સરકારે તા. 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર તા. 16 જૂન સોમવારના રોજ એક દિવસીય રાજકીય શોક જાહેર કર્યો છે.

આજે રાજ્યનાં તમામ બિલ્ડિંગો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે તથા રાજકોટમાં રાજકીય સન્માન સાથે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરાશે.

ઇઝરાયલના હુમલામાં ઈરાની સેનાના ઇન્ટેલિજન્સના વડા માર્યા ગયા

ઈરાન, ઇઝરાયલ, યુદ્ધ, લડાઈ, હુમલો, અમેરિકા, ભારત, મધ્ય પૂર્વ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનના સરકારી મીડિયા મુજબ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (આઈઆરજીસી)ના ઇન્ટેલિજન્સ યુનિટના વડા મોહમ્મદ કાઝેમીનું રવિવારે મૃત્યુ થયું છે.

આઈઆરજીસી સાથે સંકળાયેલ તસ્નીમ ન્યૂઝ એજન્સી અને ઈરાની સરકારી ટીવીએ જણાવ્યું કે કાઝેમી ઉપરાંત તેમના ડેપ્યુટી હસન મોહકેક અને કમાન્ડર મોહસિન બાકેરીનું પણ ઇઝરાયલી હુમલામાં મોત થયું છે.

આ અગાઉ ફૉક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે, “હું તમને જણાવી દઉં કે અમે ઈરાનના ઇન્ટેલિજન્સના વડા અને તેમના ડેપ્યુટીને મારી નાખ્યા છે.”

ઈરાને શું જણાવ્યું?

ઈરાનના આરોગ્ય મંત્રાલય મુજબ શુક્રવારથી અત્યાર સુધીમાં ઇઝરાયલી હુમલામાં 224 લોકોનાં મોત નિપજ્યાં છે.

ઈરાને ઇઝરાયલ પર ફરીથી મિસાઇલ હુમલો કર્યો છે. ત્યાર પછી હાઇફા, તેલ અવીવ અને જેરૂસલેમમાં ધડાકાના અવાજ સંભળાયા હતા. ઇઝરાયલની ઇમરજન્સી સર્વિસનું કહેવું છે કે આ હુમલામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ ઉપરાંત અમેરિકન અધિકારીઓએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈની હત્યા કરવાની ઇઝરાયલની યોજનાને વીટો કરી હતી.

ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા 128 લોકો માર્યા ગયા અને 900 ઘાયલ થયા : ઈરાની મીડિયા

ઈરાન, ઇઝરાયલ, યુદ્ધ, લડાઈ, હુમલો, અમેરિકા, ભારત, મધ્ય પૂર્વ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, ગુજરાતમાં સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાની મીડિયાએ સ્વાસ્થ્ય મંત્રાલયના હવાલાથી જણાવ્યું છે કે શનિવાર બપોર સુધીમાં ઇઝરાયલી હુમલામાં 128 ઈરાની માર્યા ગયા છે અને લગભગ 900 લોકો ઘાયલ થયા છે.

કેટલાંક ઈરાની સંગઠનો અને આઉટલેટ્સે ખુદ આ આંકડા જાહેર કર્યા છે.

બીબીસી આ આંકડાની પુષ્ટિ નથી કરી શકતું કારણકે ઈરાની સરકારના પ્રતિબંધોને કારણે બીબીસી પોતાના પત્રકારોને ઈરાન નહીં મોકલી શકે.

ઈરાની સરકારી મીડિયાએ શનિવારે સમાચાર આપ્યા હતા કે તહેરાનમાં એક ઇમારત પર ઇઝરાયલી હુમલામાં 20 બાળકો સહિત 60 લોકો માર્યાં ગયાં.

પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નરે કહ્યું છે કે ત્યાં 31 લોકો માર્યા ગયા છે જેમાં 30 સૈન્ય કર્મચારી અને ઈરાની રેટ ક્રિસેન્ટના એક સભ્યનો પણ સમાવેશ થાય છે.

ઈરાની રેડ ક્રિસેન્ટે કહ્યું છે કે પશ્ચિમી અઝરબૈજાન પ્રાંતમાં એક ઍમ્બ્યુલન્સ પર થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના દૂતે બે દિવસ પહેલાં કહ્યું હતું કે ઇઝરાયલી હુમલામાં 78 લોકો માર્યા ગયા છે અને 320થી વધુ ઘાયલ થયા છે.

ઈરાની સરકારના પ્રવક્તા ફતેમેહ મોહજેરાનીએ કહ્યું છે કે છેલ્લા ત્રણ દિવસથી ઓછામાં ઓછાં 30 મહિલાઓ અને બાળકો માર્યાં ગયાં છે. જોકે તેમણે કુલ મૃત્યુની સંખ્યા નહોતી જણાવી.

ઈરાનના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓનું જણાવવું છે કે અલગ-અલગ હુમલામાં ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)ના ઓછામાં ઓછા 18 સભ્યો માર્યા ગયા છે. જેમાં શુક્રવારે આઈઆરજીસી ઍરોસ્પેસ ફોર્સના કમાન્ડર પણ સામેલ છે.

અલગ-અલગ હુમલામાં ઓછામાં ઓછા સાત પરમાણુ વૈજ્ઞાનિકો પણ માર્યા ગયા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS