Home તાજા સમાચાર gujrati અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ...

અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?

4
0

Source : BBC NEWS

અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?

3 કલાક પહેલા

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતું દંપતી આધારકાર્ડના કામ માટે ગયું હતું પરંતુ તારીખ 12 જૂનના રોજ બનેલી અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ આ દંપતીની કોઈ ભાળ મળી રહી નથી.

આ દંપતીને બે સંતાનો પણ છે. જે હાલ એમનાં દાદા-દાદી પાસે રહે છે.

મૃતકના પરિવારે આ અંગે પોલીસમાં અરજી આપી છે. ડીએનએ કામગીરી પૂર્ણ થયા બાદ જાણકારી આપવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પરિવારજનોના કહેવા પ્રમાણે અમદાવાદમાં પ્લેન ક્રૅશ થયું એ સ્થળની પાસેથી સળગેલી હાલતમાં સ્કૂટર અને બળેલા આધારકાર્ડની કૉપી મળી આવી છે.

પરિવારજનોએ માત્ર પ્લેનમાં માર્યા ગયેલા લોકો તરફ જ ધ્યાન અપાતું હોવાનો અને પ્લેન ક્રૅશની આસપાસનાં સ્થળે મૃત્યુ પામેલાં અન્ય મૃતકોના પરિવારજનોને અવગણવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ ઘટનાની વિગતમાં જાણકારી આપતો વીડિયો જુઓ.

અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?

ઇમેજ સ્રોત, CHAVDA FAMILY

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS