Source : BBC NEWS
અમદાવાદ: આધારકાર્ડના કામ માટે ગયેલું દંપતી પ્લેન ક્રૅશ બાદ કેવી રીતે ગુમ થઈ ગયું, પરિવારે શું આરોપ લગાવ્યો?
3 કલાક પહેલા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રહેતું દંપતી આધારકાર્ડના કામ માટે ગયું હતું પરંતુ તારીખ 12 જૂનના રોજ બનેલી અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ આ દંપતીની કોઈ ભાળ મળી રહી નથી.
આ દંપતીને બે સંતાનો પણ છે. જે હાલ એમનાં દાદા-દાદી પાસે રહે છે.
મૃતકના પરિવારે આ અંગે પોલીસમાં અરજી આપી છે. ડીએનએ કામગીરી પૂર્ણ થયા બાદ જાણકારી આપવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પરિવારજનોના કહેવા પ્રમાણે અમદાવાદમાં પ્લેન ક્રૅશ થયું એ સ્થળની પાસેથી સળગેલી હાલતમાં સ્કૂટર અને બળેલા આધારકાર્ડની કૉપી મળી આવી છે.
પરિવારજનોએ માત્ર પ્લેનમાં માર્યા ગયેલા લોકો તરફ જ ધ્યાન અપાતું હોવાનો અને પ્લેન ક્રૅશની આસપાસનાં સ્થળે મૃત્યુ પામેલાં અન્ય મૃતકોના પરિવારજનોને અવગણવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ ઘટનાની વિગતમાં જાણકારી આપતો વીડિયો જુઓ.

ઇમેજ સ્રોત, CHAVDA FAMILY
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS