Home તાજા સમાચાર gujrati રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું- ‘જડબાતોડ જવાબ આપીશું’ – ન્યૂઝ અપડેટ

રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યું- ‘જડબાતોડ જવાબ આપીશું’ – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ભારત પાકિસ્તાન રાજનાથ સિંહ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, ANI

એક કલાક પહેલા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 26 લોકોનાં મોત પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે.

રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું છે કે “દેશ પર આંખ ઉઠાવનારાઓને સેનાની સાથે મળીને જડબાતોડ જવાબ આપવામાં આવશે.”

પાકિસ્તાનના રક્ષામંત્રી સહિતના લોકો ભારત દ્વારા સૈન્યકાર્યવાહીની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે ત્યારે ભારતના રક્ષામંત્રીએ આ નિવેદન આપ્યું છે. ભારતમાં પણ સતત એવાં નિવેદન આવી રહ્યાં છે જેમાં પાકિસ્તાન વિરુદ્ધ સખત કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.

રાજનાથસિંહે સ્પષ્ટ સંકેત આપ્યા વગર કહ્યું કે “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમે જેવું ઇચ્છો છો એવું થઈને રહેશે.”

દિલ્હીમાં રવિવારે સાંજે સનાતન સંસ્કૃતિ જાગરણ મહોત્સવના કાર્યક્રમમાં રાજનાથસિંહે ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે પહલગામ હુમલા કે પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ તેમણે સાંકેતિક રીતે વાત કરી હતી.

તેમણે કહ્યું કે, “એક રાષ્ટ્ર તરીકે ભારતના ભૌતિક સ્વરૂપની સુરક્ષા આપણા વીર સૈનિકોએ હંમેશાં કરી છે. આધ્યાત્મિક સ્વરૂપે આપણા ઋષિમુનિઓએ સુરક્ષા કરી છે.”

ભારત-પાકિસ્તાન તણાવ પર આજે યુએન સુરક્ષા પરિષદની બેઠક

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ભારત પાકિસ્તાન રાજનાથ સિંહ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ તણાવ પર ચર્ચા કરવા માટે યુએનની સુરક્ષા પરિષદમાં આજે પાંચમી મેએ બેઠક મળશે.

સમાચાર એજન્સી પીટીઆઇના અહેવાલ પ્રમાણે સુરક્ષા પરિષદ ‘બંધબારણે’ પાકિસ્તાન અને ભારત વચ્ચેની હાલની સ્થિતિ પર વિચારવિમર્શ કરશે.

યુએનની સુરક્ષા પરિષદમાં બંધબારણે થતી બેઠકની જાહેરમાં ચર્ચા કરવામાં આવતી નથી.

રવિવારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પહલગામ હુમલાને ધ્યાનમાં રાખતા આ ક્ષેત્રની હાલની સ્થિતિની જાણકારી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આપવાનો નિર્ણય લેવાયો છે.

તેમાં જણાવાયું હતું કે પાકિસ્તાનના વિદેશમંત્રી ઈસહાક ડારે પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત અસીમ ઇફ્તિખારને સુરક્ષા પરિષદની બેઠક બોલાવવા માટે નિર્દેશ આપ્યો હતો.

વિદેશમાં ફિલ્મો બનાવવા પર 100 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત

બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ભારત પાકિસ્તાન રાજનાથ સિંહ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિદેશી ફિલ્મો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે વિદેશમાં ફિલ્મ બનશે તો 100 ટકા ટેરિફ લાદવામાં આવશે.

ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લૅટફૉર્મ પર આની ઘોષણા કરતા કહ્યું કે, “અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગ ઝડપથી ખતમ થઈ રહ્યો છે. બીજા દેશો આપણા ફિલ્મ નિર્માતાઓ અને સ્ટુડિયોને અમેરિકાથી દૂર કરવા માટે દરેક પ્રકારના પ્રોત્સાહન આપી રહ્યા છે.”

તેમણે કહ્યું કે આ બીજા દેશો તરફથી કરવામાં આવેલો એક સંગઠિત પ્રયાસ છે અને તેથી ‘રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો’ છે.

ટ્રમ્પે કહ્યું કે વાણિજ્ય વિભાગ અને અમેરિકન વ્યાપાર પ્રતિનિધિને વિદેશી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે અધિકૃત કરી રહ્યો છે.

તેમણે લખ્યું કે, “અમે ફરીથી અમેરિકામાં બનેલી ફિલ્મો ઇચ્છીએ છીએ.”

જાન્યુઆરીમાં પોતાના બીજા કાર્યકાળની શરૂઆત પછી ટ્રમ્પે દુનિયાભરના દેશો પર ટેરિફ લગાવ્યા છે.

તેમનું કહેવું છે કે ટેરિફથી અમેરિકન નિર્માતાઓને પ્રોત્સાહન મળશે અને નોકરીઓ બચી જશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS