Source : BBC NEWS
પહલગામ હુમલો : ‘અમારું દિલ રડી રહ્યું છે, અમે…’ – સન્નાટા વચ્ચે શું કહી રહ્યા છે સ્થાનિકો
2 કલાક પહેલા
મંગળવારે પહલગામમાં ચરમપંથી હુમલો થયો, જેમાં 25 પ્રવાસી અને એક સ્થાનિક સહિત 26 લોકોની હત્યા કરી દેવાઈ હતી.
પહલગામની મુખ્ય બજારમાં જ્યાં સામાન્ય દિવસોમાં પર્યટકોની ભીડ જોવા મળતી અને સ્થાનિકોના ધંધારોજગાર ધમધમતા હતા, ત્યાં હાલ શાંતિ પ્રવર્તે છે.
સ્થાનિકોનું કહેવું છે કે આ હુમલાને કારણે તેમણે ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે; અને જે કંઈ થયું તે બિલકુલ બરાબર નથી અને આવું નહોતું થવું જોઈતું, તે માનવતા માટે યોગ્ય નથી.
જુઓ પહલગામથી બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવનો અહેવાલ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS