Source : BBC NEWS
અમદાવાદ પ્લેન ક્રૅશ : તાવ આવ્યો ને ટિકિટ કૅન્સલ કરાવતા બચી ગયેલા મહીસાગરના ડૉક્ટરની કહાણી
46 મિનિટ પહેલા
અમદાવાદમાં 12 જૂને ઍર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન ક્રૅશ થઈ ગયું હતું. જોકે થોડી સેકન્ડોમાં જ વિમાન રનવેથી અંદાજે બે કિમી દૂર બીજે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર તૂટી પડ્યું હતું.
આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકો પૈકી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
જોકે આ ફ્લાઇટ ચૂકી જનારા લોકોમાં એક અંકલેશ્વરનાં ભૂમિ ચૌહાણ પણ હતાં. તેમને ઍરપૉર્ટ પર પહોંચતા મોડું થઈ ગયું હતું, જેને કારણે તેઓ ફ્લાઇટ ચૂકી ગયાં હતાં અને બચી ગયાં હતાં.
આવી જ વ્યક્તિ છે મહીસાગર જિલ્લાના વીરપુરના કોયડેમ ગામના ડૉક્ટર ઉમંગ પટેલ.
ડૉક્ટર ઉમંગ પટેલ પ્લેનમાં જ સવાર ન થઈ શક્યા અને પરિણામે બચી ગયા. સ્નેહીઓ અને મિત્રો તેમને મળેલા જીવનદાનની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
આખરે એવું શું થયું કે ડૉક્ટર ઉમંગ પટેલ પ્લેનમાં જ બેસી ન શક્યા અને તેમનો જીવ બચી ગયો?
જાણવા માટે જુઓ આ વીડિયો.

SOURCE : BBC NEWS